ભાવનગર જિલ્લામાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા ઝુંબેશ

હિન્દ ન્યુઝ, ભાવનગર

ચોમાસાની ઋતુ એટલે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોને ફુલવા- ફાલવાની ઋતુ..આ ઋતુમાં રોગચાળાને વધવા માટેનું મોકડું મેદાન મળી જતું હોય છે.

આવો રોગચાળો વધતો અટકે તે માટે ભાવનગર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આ ઝુંબેશના ભાગરૂપે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કોકીલાબેન સોલંકી તથા જિલ્લા મેલેરીયા અધિકારી ડો. બી.પી. બોરીચાના માર્ગદર્શન હેઠળ તા.૧૧ જુલાઈ થી ૨૦ જુલાઈ સુધી રોગચાળાને ફેલાતો અટકાવવા માટે વિવિધ કામગીરી હાથ ધરવામાં આવનાર છે.

ચોમાસા દરમિયાન ગામડાઓમાં રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ, નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં બાંધકામ વિસ્તારમાં, બાગ બગીચામાં પાણી ભરાઈ રહેતાં મચ્છરોનો ઉપદ્રવ વધે છે. ત્યારે પાણી ભરાઈ રહે તેવા કુંડા, ટાયરો, ટાંકીઓ વગેરેની સફાઈ હાથ ધરવામાં આવી છે.

આ તમામ સ્થાનો ઉપર સફાઈ અભિયાન હાથ ધરી બિનજરૂરી કચરો દૂર કરી સ્વચ્છ કરવામાં આવશે. ભરાયેલાં પાણીને દૂર કરીને કેમિકલનો છંટકાવ કરવામાં આવશે.

પ્રદૂષિત પાણીમાં એક મચ્છર ૧૫૦ જેટલાં ઈંડા મૂકે છે અને આ ઈંડામાંથી દસ દિવસે મચ્છર બને છે. આ પ્રકારની વૈજ્ઞાનિક માહિતી માટે લોકોને જાગૃતિ કેળવવા માટે લોકોને જાગૃત કરવામાં આવશે.

આ ઉપરાંત સૂત્ર લેખન દ્વારા જનજાગૃતિ સ્થાનિક કેબલ ટીવી ચેનલોમાં વ્યાપક પ્રચાર વગેરેની કામગીરી હાથ ધરવામાં આવશે.

આ સમગ્ર ઝુંબેશ દરમિયાન ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંસ્થાઓ, સામાજિક આગેવાનો, સહકારી મંડળીઓ, પ્રાથમિક શાળાના બાળકો, હાઇસ્કૂલના બાળકો, દૂધ મંડળીઓ વગેરેનો સહયોગ લેવામાં આવશે.

આ કાર્યક્રમને સફળ બનાવવાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કોકિલાબેન સોલંકી, જિલ્લા મેલેરિયા અધિકારી ડો. બી.પી. બોરીચા, તાલુકા હેલ્થ ઓફિસરો, તાલુકા હેલ્થ સુપરવાઇઝરો, સુપરવાઇઝર મિત્રો, આરોગ્ય કર્મચારીઓ, આશા ફેસીલીટેટર આશા બહેનો સતત જહેમત ઉઠાવી રહ્યાં છે.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment